Paurav Shukla
Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
Author
Paurav Shukla
Category
Podcast website
Latest episode
Jul 12, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Bhagvat Puran Skandh 11 Adhyay 1 02.09.2021 20:44
અગિયારમાં સ્કંધના પહેલા અધ્યાયમાં યાદવોને ઋષિઓએ શાપ કેમ આપ્યો તેના વિશેની વાત આપણે જાણીશું. બીજા બધા શત્રુઓનો નાશ થતા યાદવો હવે ખૂબ શક્તિશાળી થઈ ગયા છે અને તેથી તેમનામાં ખૂબ ઉદંડતા વ્યાપી ગઈ છે. ભગવાન આનાથી ખૂબ ચિંતિત છે અને યાદવ વંશ નો સર્વનાશ કરવાનો વિચાર કરી રહ્યા છે. તે તરફ ની ગતિ વિશે આપણે આજે જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 90 Part 2 01.09.2021 17:43
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના લીલા વિહાર નું વર્ણન આગળ ધપાવીશું. આપણે યાદવોમાં આવી રહેલી ઉદંડતા જોઈને ભગવાનનો યાદવવંશનો વિનાશ તરફનો સંકેત પણ જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 90 Part 1 31.08.2021 19:20
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના લીલા વિહાર નું વર્ણન સાંભળીશું. આપણે ભગવાન શ્રીકૃષ્ણની રાણીઓમાં વિરહની વેદના વિષે પણ સાંભળીશું. ભગવાન ની રાણીઓ જ્યારે ભગવાન તેમની પાસે નથી ત્યારે વિરહમાં પક્ષીઓને, વૃક્ષોને, પર્વતોને ,અને નદીઓને પૂછે છે કે તમને પણ અમારા જેવી વેદના થાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 89 Part 2 30.08.2021 20:04
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને કેવી રીતે એક બ્રાહ્મણના મૃત્યુ પામેલા બાળકોને પાછા પૃથ્વી પર લાવ્યા તેની કથા સાંભળવી છે. આ કથામાં આપણે ભગવાન વિષ્ણુ દ્વારા પોતાની જાતને હવે પૃથ્વી પરથી પાછા વૈકુંઠ લોકમાં લાવવાની વાત પણ સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 89 Part 1 29.08.2021 19:11
ઋષિઓમાં વાદ-વિવાદ થયો છે કે બ્રહ્મા, વિષ્ણ અને મહેશમાં સૌથી મોટું કોણ. આથી ત્રણેયની પરીક્ષા લેવા માટે તેઓ ભૃગુઋષિને મોકલે છે. તે કસોટીની વાત અને ઋષિઓના નિર્ણય વિષે આપણે આજના અધ્યાયમાં જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 88 28.08.2021 22:27
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને જણાવે છે કે તેમનામાં, શિવજીમાં એન્ડ બ્રહ્માજીમાં વરદાન આપવાનો ભેદ શો છે. શુકદેવજી પરીક્ષિતને વૃકાસુરની કથા સંભળાવે છે જેમાં ભગવાન શંકર વરદાન આપીને પોતે જ કષ્ટમાં મુકાઈ જાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 3 27.08.2021 22:41
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે જીવ કેમ ભોગ અને માયામાં અટવાઈને પરમાત્મા તરફની પોતાની ગતિમાંથી ચલિત થઇ જાય છે તેના વિષે જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 2 26.08.2021 26:18
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે જીવ કેવી રીતે પરબ્રહ્મને પામી શકે તેના વિષે શ્રુતિઓએ કરેલ વ્યાખ્યાન સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 1 25.08.2021 23:42
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે શું સંબંધ છે તેની છણાવટ સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 86 Part 2 24.08.2021 15:22
પોતાના ભક્તોની મનોકામના પૂરી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ મિથિલા પુરીમાં રાજા બહુલાશ્વ અને શ્રુતદેવ નામના બ્રાહ્મણના ઘરે પોતાના દર્શન આપવા માટે જાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 86 Part 1 23.08.2021 16:08
આજના અધ્યાયમાં આપણે અર્જુને સુભદ્રાજીનું હરણ કેવી રીતે કર્યું તેના વિશેની વાત સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 85 Part 2 22.08.2021 19:00
દેવકીજી પોતાના પુત્ર કૃષ્ણ અને બલરામજીને કહે છે કે તમારી પહેલા જન્મેલા મારા બીજા છ પુત્રોને પાછા લાવી આપો. એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી સુતલ લોક માં જઈને રાજા બલિ પાસેથી તે પુત્રોને પાછા લાવી આપે છે. માતા દેવકી તેમને જોઈને હર્ષ પામે છે અને ત્યારબાદ તે પુત્રો તેમના દેવસ્થાને પહોંચી જાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 85 Part 1 21.08.2021 18:02
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પિતા વસુદેવજીને આપેલું બ્રહ્મજ્ઞાન વિશે જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 84 Part 2 20.08.2021 25:18
કુરુક્ષેત્રમાં ભેગા થયેલા બધા ઋષિઓને વસુદેવજી પ્રશ્ન કરે છે કે જીવનમાં દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું ઋણ કઈ રીતે ઉતારવું. ઋષિઓ તેના વિશે વસુદેવજીને સુંદર સલાહ આપે છે અને ભગવાન શ્રીકૃષ્ણની ઉમદા સ્તુતિ કરે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 84 Part 1 19.08.2021 18:59
આજના અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મૂર્તિ પ્રથા અને જડ વસ્તુઓમાં ભગવાન શોધવાનો આપણો પ્રયત્ન તેનું ખંડન કરવામાં આવ્યું છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 83 18.08.2021 24:31
આજના અધ્યાયમાં આપણે ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાતચીત અને ભગવાનની સ્તુતિ સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 82 17.08.2021 23:24
સર્વગ્રાસ સૂર્યગ્રહણના સમયે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અનેક યાદવો સહિત ઘણા બધા લોકો આખા ભારતવર્ષમાંથી પોતપોતાના કલ્યાણ માટે અને પુણ્ય પ્રાપ્ત કરવા માટે કુરુક્ષેત્રમાં આવ્યા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે ગોપ ગોપીઓનું પણ મિલન થાય છે, તેની વાત આજના અધ્યાયમાં સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 81 16.08.2021 20:08
સુદામાજીના હાથમાંથી ભગવાન શ્રી કૃષ્ણ પૌઆની પોટલી ઝુંટવી લે છે. તેમાંથી તેઓ એક મુઠ્ઠી પૌઆ આરોગે છે. થોડા સમય બાદ જ્યારે સુદામાજી પોતાના ઘરે પાછા આવે છે ત્યારે અદભુત સંપત્તિ જોઈએ આશ્ચર્ય પામે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 80 15.08.2021 22:19
આ અધ્યાયમાં આપણે સુદામાજી અને તેમની પત્ની વચ્ચેનો સંવાદ, અને ત્યારબાદ સુદામાજીનું શ્રી કૃષ્ણ ના મહેલમાં પધારવું અને તેમના મિલન તથા તેમણે સાંદિપની ઋષિના આશ્રમમાં ગાળેલી પળો વિશે સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 79 14.08.2021 17:16
ઋષિઓની સૂચના પ્રમાણે બલવલનો વધ કરીને ભગવાન બલરામજી એક વર્ષના પ્રાયશ્ચિત માટે ની યાત્રા પર નીકળે છે. તે દરમિયાન તેઓ કુરુક્ષેત્રમાં ભીમ અને દુર્યોધન વચ્ચે ગદા યુદ્ધ નિહાળીને તેમને રોકવાનો પણ પ્રયત્ન કરે છે. જ્યારે તેમને સમજાય છે કે આ વ્યર્થ છે ત્યારે તેઓ ત્યાંથી પાછા પોતાની યાત્રા પર નીકળી જાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 78 13.08.2021 19:58
શાલ્વનો વધ થતાં તેનો મિત્ર દંતવક્ત શ્રી કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધ કરવા માટે પગપાળો ચાલી આવે છે અને ગદા યુદ્ધ આદરે છે. ભગવાન તેનો પણ ઉદ્ધાર કરે છે. દંતવક્ત ભગવાનનો પાર્ષદ છે તેથી તેનો આત્મા ભગવાન માં સમાઈ જાય છે. ત્યારબાદ ભગવાન તેના પુત્ર વિદુરથનો પણ ઉદ્ધાર કરે છે. આ તરફ પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધની તૈયારી થઈ રહી છે તે જાણતા તટસ્થ એવા બલરામજી તીર્થયાત્રા પર નીકળી જાય છે અને ત્યાં તેમના હાથે રોમહર્ષણ...
Bhagvat Puran Skandh 10 Adhyay 77 12.08.2021 18:20
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને બલરામજી ઇન્દ્રપ્રસ્થ થી પાછા આવે છે ત્યારે ભગવાન પોતાના સારથી ને શાલ્વ પાસે લઈ જવાની આજ્ઞા કરે છે અને તેની સાથે યુદ્ધ કરે છે. ભગવાન શાલ્વનો ઉદ્ધાર કરે છે અને તેના વિમાનને પણ તહસ-નહસ કરી નાખે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 76 11.08.2021 16:55
શિશુપાલનો વધ થયો છે તે જાણીને તેનો મિત્ર શાલ્વ ભગવાન પશુપતિનાથની આરાધના કરીને તેમની પાસેથી એક અજય તેવું વિમાન માંગે છે. આ વિમાન લઇ ને તે દ્વારિકા પર આક્રમણ કરી દે છે. ભગવાન ના પુત્ર પ્રદ્યુમ્નનજી આ આક્રમણ નો સામનો કરે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 75 10.08.2021 22:10
રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરે બધા જ ભાઈ બંધુઓને ચોક્કસ કામ આપીને દરેકને સાથે રાખ્યા હતા. પરંતુ રાજસૂય યજ્ઞ અને યુધિષ્ઠિર ની સંપતિ અને ઇન્દ્રપ્રસ્થ પ્રતિષ્ઠા દુર્યોધન સાંખી શકતો નથી. તેના મનમાં ખૂબ ઈર્ષા ભરાઈ ગઈ છે. દ્રૌપદી પ્રત્યે પણ તેને ખૂબ આસક્તિ છે .આ દરમિયાન એક દિવસ ઇન્દ્રપ્રસ્થ ની સભામાં જળ ને સ્થળ અને સ્થળને જળ માનીને દુર્યોધન જળ માં પડી જાય છે અને આ અપમાન સહન કરી શકતો નથી.
Bhagvat Puran Skandh 10 Adhyay 74 09.08.2021 27:29
યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં સહદેવજી એ પ્રસ્તાવ મૂક્યો કે અગ્ર પૂજા ભગવાન શ્રીકૃષ્ણની થવી જોઈએ. આ સાંભળીને મોટાભાગના લોકોએ સંમતિ દર્શાવી. પરંતુ શિશુપાલ ખૂબ ઉગ્ર થઈને ભગવાનને ભરી સભામાં અપશબ્દો કહેવા લાગ્યો. જ્યારે તેના પાપનો ઘડો ભરાઈ ગયો ત્યારે, ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી તેનો ઉદ્ધાર કર્યો.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.