Paurav Shukla
Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
Author
Paurav Shukla
Category
Podcast website
Latest episode
Jul 12, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Bhagvat Puran Skandh 10 Adhyay 50 14.07.2021 30:18
કંસની બે રાણીઓ જરાસંધ ની પુત્રી હતી. કંસ વધ બાદ તે બે પુત્રીઓ પોતાના પિતા જરાસંધ પાસે પહોંચીને તેમના પિતાને પોતાના પતિના મૃત્યુનો બદલો લેવા માટે વિનંતી કરે છે. જરાસંધ 23 અક્ષોહિણી સેના લઈને મથુરા પર આક્રમણ કરે છે અને આવી રીતે ૧૭ વખત આક્રમણ કરે છે અને દર વખતે હારી ને પાછો આવે છે. જ્યારે જરાસંધ ૧૮મી વખત મથુરા પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે નારદજીનો મોકલેલો કાલયવન પણ મથુરા પર આક્રમણ કરે...
Bhagvat Puran Skandh 10 Adhyay 49 13.07.2021 20:18
ભગવાન ના આદેશ પ્રમાણે અક્રૂરજી હસ્તિનાપુર પહોંચીને ત્યાંની પરિસ્થિતી અને ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવો સાથે થતા અન્યાયને જોઈ રહ્યા છે. ત્યાંથી વિદાય થતાં પહેલા તેઓ ધૃતરાષ્ટ્રને ખૂબ સારી રીતે સમભાવ કેળવવા વિશેની સલાહ આપે છે. ધૃતરાષ્ટ્ર સલાહ સ્વીકારી શકતા નથી. અક્રૂરજી આ બધી વાત પાછા આવીને શ્રીકૃષ્ણને જણાવે છે. દસમા સ્કંધના ઉત્તરાર્ધનો આ છેલ્લો અધ્યાય છે
Bhagvat Puran Skandh 10 Adhyay 48 12.07.2021 22:01
ઉદ્ધવજીના આવ્યાના થોડા દિવસ બાદ ભગવાન કુબ્જાના ઘરે વચન આપ્યા પ્રમાણે પહોંચ્યા છે. કુબ્જાની સાથે સમય વિતાવ્યા બાદ ભગવાન થોડા દિવસ પછી અક્રૂરજી ને ત્યાં પધારે છે અને અક્રૂરજી ને હસ્તિનાપુર જવાનો અને પાંડવોના હાલચાલ જાણી લાવવાનો આદેશ કરે છે. આજના અધ્યાયમાં આપણે જુદા જુદા ભક્તોની ભગવાન પાસે ની કામના વિશે ચર્ચા કરીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 47 Part 2 11.07.2021 29:37
ઉદ્ધવજીએ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો ગોપીઓને આપ્યો છે. આ સંદેશો સાંભળીને ગોપીઓની વિરહની વ્યથા ઓછી થઈ છે. ઉદ્ધવજી કેટલાય મહિનાઓ સુધી વ્રજમાં રોકાય છે અને શ્રીકૃષ્ણની લીલા ચર્ચાઓમાં પોતાનો સમય પસાર કરે છે. ઘણો વખત થયા બાદ તેઓ મથુરા પાછા ફરે છે અને શ્રીકૃષ્ણને પોતાની વ્રજમાં વિતાવેલી પળો નો અહેવાલ આપે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 47 Part 1 10.07.2021 22:02
નંદબાવાને ઘરે સોનાના રથને જોઈને ગોપીઓને શંકા જાય છે કે ક્યાંક અક્રૂરજી પાછા કશુંક લેવા માટે નથી આવ્યા ને. જયારે તેમને જાણ થાય છે કે આ તો ઉદ્ધવજી જે શ્રીકૃષ્ણ ના પ્રિય છે તે આવ્યા છે ત્યારે ગોપીઓ તેમની સાથે જે સંવાદ કરે છે, તે આજે આપણે સાંભળીશું. ભમરાનું રૂપક બનાવીને એક ગોપી ફરિયાદ કરે છે કે શું કૃષ્ણ અમારા દર્દ ને જાણે છે?
Bhagvat Puran Skandh 10 Adhyay 46 09.07.2021 25:42
ઉદ્ધવજી, વૃષ્ણીઓમાં પ્રધાનપુરુષ, બૃહસ્પતિજીનાં શિષ્ય અને શ્રી કૃષ્ણના પરમપ્રિય હતા. તે ઉદ્ધવજીને ભગવાન પોતાનો સંદેશો લઈને વ્રજમાં મોકલે છે. તેમની નંદબાવાની સાથેની વાત આજે આપણે સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 45 08.07.2021 27:35
આજના અધ્યાયમાં આપણે શ્રીકૃષ્ણ અને બલરામજીના, દેવકી વસુદેવ સાથેના મિલનની, તેમના યજ્ઞોપવિતની, સાંદિપની ઋષિના ગુરુકુળમાં પ્રવેશની, 64 દિવસમાં 64 કળા સખીવાની અને ગુરુદક્ષિણામાં સાંદિપની ઋષિના મૃત પુત્રને પાછો લઇ આવવાની વાત સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 44 07.07.2021 25:20
ભગવાન શ્રીકૃષ્ણએ ચાણૂર વગેરે મલ્લના વદ્યનો અફર વિચાર કરી લીધો અને પછી તેઓ ચાણૂર સાથે અને બલરામજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તે મલ્લનો વધ કરી ને ત્યારેબાદ ભગવાન શ્રીકૃષ્ણ કંસ સાથે યુદ્ધ કરવા લાગ્યા અને કંસનો ઉદ્ધાર તેમને કેવી રીતે કર્યો તે આપણે આજના અધ્યાયમાં સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 43 06.07.2021 20:02
કંસને ભીતિ લાગી છે અને એટલે મલ્લયુદ્ધની ઘોષણા કરી દીધી. બીજે દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના રંગભૂમિના દ્વાર પર પહોંચ્યા ત્યારે કુવલયાપીડ હાથી તેમનો રસ્તો રોકીને ઊભો હતો. તે હાથી નો વધ કરીને ભગવાન બલરામજી સાથે અખાડામાં પહોંચ્યા.
Bhagvat Puran Skandh 10 Adhyay 42 05.07.2021 18:50
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણએ કુબ્જા પર કઈ રીતે કૃપા કરી અને ધનુષ્ય ભંગ કેવી રીતે કર્યો તેના વિષે સાંભળીશું. કંસના હૃદયમાં ભીતિ પેઠી છે તેની વાત પણ જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 41 04.07.2021 23:25
અક્રૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મથુરા નગરી ના દ્વારે પોહ્ચ્યા છે. અક્રૂરજી ભગવાનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના સખા સાથે મથુરા નગર ની બહાર રોકાય છે. બીજે દિવસે સવારે શ્રી કૃષ્ણ, બલરામજી અને ગોપબાળો નગર જોવા માટે નીકળે છે અને તેમની મુલાકાત એક ધોબી, દરજી અને માળી સાથે થાય છે. આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની મથુરા યાત્રા વિશે સાંભળીશું. આપણે...
Bhagvat Puran Skandh 10 Adhyay 40 03.07.2021 18:46
અક્રૂરજી એ જમના જળમાં જ્યારે ડૂબકી મારી અને ભગવાનનાં દર્શન થયાં છે ત્યારે તેમનામાં પરમ ભક્ત ભાવ ઉમટી પડ્યો છે. આ અધ્યાયમાં આપણે અક્રૂરજી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જુદા જુદા રૂપની સ્તુતિ સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 39 02.07.2021 30:15
આજના અધ્યાયમાં આપણે શ્રીકૃષ્ણના અને બલરામજીના મથુરા ગમન ની વાત કરવી છે. અક્રૂરજી જ્યારે શ્રીકૃષ્ણ અને બલરામને નંદબાવાની અને ગોપોની સાથે મથુરા લઈ જવા તૈયાર થયા છે, ત્યારે ગોપીઓ વિધાતાને આરોપ આપતા કહે છે કે અમારા શ્યામસુંદરને અમારી પાસેથી ન લઈ જાવ. ગોપીઓની આ વેદના ને આ અધ્યાયમાં વ્યાસજીએ બહુ માર્મિક રીતે વ્યક્ત કરી છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 38 01.07.2021 28:07
અક્રૂરજી ભગવાનના પરમભક્ત છે. જયારે કંસ તેમને વ્રજ જવાની આજ્ઞા આપે છે ત્યારે તેઓ આખો વખત ભગવાન વિષે જ વિચારી રહ્યા છે. તેમની વ્રજયાત્રા વિષે આપણે આજે સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 37 30.06.2021 21:29
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કેશી અને વ્યોમાસુરનો ઉદ્ધાર કેવી રીતે થયો તેના વિષે જાણીશું. આપણે નારદજીએ કરેલી ભગવાનની અદભુત સ્તુતિ પણ સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 36 29.06.2021 20:54
અરિષ્ટાસુર બળદનું રૂપ લઇ અને વ્રજમાં ઘુસી આવ્યો છે, તેનો ઉદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણ કરે છે. બીજી તરફ નારદજી કંસને તેની ભવિષ્યવાણી અને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી વિષે જણાવે છે. આ સાંભળતા કંસ ષડયંત્રની રચના કરે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 35 28.06.2021 22:40
ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે દરરોજ વનમાં જતા તયારે ગોપીઓનું ચિત્ત તેમની સાથે ચાલ્યું જતું હતું. તેમનું મન શ્રીકૃષ્ણનું ચિંતન કરતુ રહેતું અને તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતી રહેતી. આ યુગલ ગીત આજના અધ્યાય આપણે સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 34 27.06.2021 17:29
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વિદ્યાધર સુદર્શન અને યક્ષ શંખચૂડનો ઉધ્ધાર થયો તેના વિશેની વાત સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 33 Part 2 26.06.2021 19:15
ભગવાનના મહારાસ વિશે પરીક્ષિતને પ્રશ્ન થયો છે. તેના જવાબમાં શુકદેવજી તેને તત્વજ્ઞાનની વાત સમજાવે છે. આ વાતની મીમાંસા અને તેની પાછળના ઉદ્દેશ્ય વિશે આપણે આજે સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 33 Part 1 25.06.2021 17:42
ભગવાન શ્રીકૃષ્ણની સુમધુર વાણી સાંભળીને ગોપીઓનો વિરહ દૂર થઈ ગયો. અને પોતાના પ્રાણપ્રિયના અંગ-સંગથી તેઓ કૃતાર્થ થઈ ગઈ. પોતાની દિવ્ય શક્તિથી ભગવાન દરેક ગોપીઓની પાસે પોતાનું રૂપ લઈ અને ઊભા રહી ગયા અને ત્યારબાદ તેમણે મહારાસની રચના કરી.
Bhagvat Puran Skandh 10 Adhyay 32 24.06.2021 18:34
ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય ગોપીઓ વિરહના આવેશમાં જાતજાતના ગીત પ્રહલાદ કરવા લાગી અને શ્રીકૃષ્ણના દર્શનની લાલસાથી પોતાને રોકી શકી નહીં અને રડવા લાગી. બરાબર તે જ વખતે ભગવાન શ્રીકૃષ્ણ તેમની વચ્ચે પ્રગટ થયા અને ગોપીઓને સાંત્વના આપી. તેમણે સમજાવ્યું કે ગોપીઓ હું તમને અતિ પ્રેમ કરું છું અને તમે આપેલા પ્રેમ સેવા અને ત્યાગનો બદલો હું જન્મોજન્મની ચૂકવી શકું એમ નથી. તેથી હું તમારો અનંતકાળ સુધી ઋણી રહીશ.
Bhagvat Puran Skandh 10 Adhyay 31 23.06.2021 17:19
શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓ પ્રથમ તેમને શોધવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારબાદ ગોપી ગીત દ્વારા તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે. તેમના વિરહની વેદનાને વ્યાસજીએ આ અધ્યાયમાં પતિ પ્રેમપૂર્વક વર્ણવી છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 30 22.06.2021 23:35
ગોપીઓને રાસલીલા દ્વારા શ્રીકૃષ્ણ પોતાના હોવાનું અભિમાન થઇ જાય છે. આ જોઈને શ્રી કૃષ્ણ ત્યાંથી અંતર્ધ્યાન થઇ જાય છે. શ્રીકૃષ્ણને ન પામી શકતા ગોપીઓ ખૂબ વિહવળ બની જાય છે અને વિરહના શોકમાં ડૂબી જાય છે. તેઓ શ્રી કૃષ્ણ જેવી ચેષ્ટાઓ કરવા માંડે છે અને શ્રીકૃષ્ણને શોધવાનો પ્રયત્ન કરે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 29 Part 2 21.06.2021 18:02
શ્રી કૃષ્ણ જ્યારે પાછા વળવાનું કહે છે તે સાંભળીને ગોપીઓ બેબાકળી બની જાય છે. વ્યાકુળ બનીને તેઓ શ્રી કૃષ્ણને કહે છે કે તમે જ અમારા સખા અને તમે જ અમારા સ્વામી, એટલે અમને અપનાવી લો. તેમને સંતુષ્ટ કરવા માટે શ્રીકૃષ્ણ તેમની સાથે રાસલીલા રમે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 29 Part 1 20.06.2021 18:56
શરદ ઋતુ આવી છે અને શ્રીકૃષ્ણ વેણુનાદ છોડ્યો છે. તેના મોહમાં ગોપીઓ બધુ મૂકીને, ભાન ભૂલીને, શ્રીકૃષ્ણ પાસે રાતના સમયે દોડી આવી છે. શ્રીકૃષ્ણ અત્યારે તેમને પાછા વળવાનું સમજાવે છે.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.