Paurav Shukla
Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
Author
Paurav Shukla
Category
Podcast website
Latest episode
Jul 12, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Bhagvat Puran Skandh 10 Adhyay 28 19.06.2021 17:54
એકવાર નંદબાવા આસુરી કાળના સમયે યમુનાના જળમાં પ્રવેશી ગયા અને તે વખતે વરુણના એક સેવક તેમને પકડી લીધા અને પોતાના સ્વામી પાસે લઈ ગયો. શ્રીકૃષ્ણ પોતે વરુણ પાસે ગયા અને ત્યાંથી નંદજીને છોડાવી લાવ્યા. વરુણજીએ કરેલી ભગવાનની ખુબ સુંદર સ્તુતિ આજના અધ્યાયમાં આપણે સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 27 18.06.2021 18:16
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરીને મુશળધાર વરસાદથી વ્રજને બચાવી લીધું ત્યારે સ્વર્ગથી દેવરાજ ઇન્દ્ર પોતાના અપરાધની ક્ષમા કરાવવા માટે આવ્યા. આ સમયે કામધેનુ એ ભગવાનનો અભિષેક કર્યો. ભગવાનની ખુબ સુંદર સ્તુતિ પણ આપણે આ અધ્યાય માં સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 26 17.06.2021 13:48
વ્રજના લોકો ભગવાન શ્રીકૃષ્ણના અલૌકિક કર્મ જોઈને બહુ આશ્ચર્યમાં પડી ગયા છે. આ અધ્યાયમાં આપણે તેમણે કરેલા વિચાર-વિમર્શ વિશે જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 25 16.06.2021 17:37
ગોવાળો જ્યારે ઈન્દ્ર ભગવાન નો યજ્ઞ કરવાનું બંધ કરી દેશે દે છે ત્યારે ગુસ્સે થઈને દેવરાજ ઇન્દ્ર આંધી અને વરસાદને વ્રજ પર મોકલી આપે છે. ઇન્દ્રના અભિમાનને તોડવા માટે ભગવાન ગિરિરાજ ગોવર્ધનને પોતાના જમણા હાથ પર ધારણ કરી લે છે. સાત દિવસ સુધી ઈન્દ્રએ મોકલેલા મેઘ અને આંધી ભગવાનના રક્ષણમાં રહેલા ગોવાળોને કશું પણ કરી શકતા નથી. ત્યારે ઇન્દ્રના ક્રોધનો અને અભિમાનનો નાશ થઈ જાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 24 15.06.2021 17:07
ઇન્દ્રના અભિમાનને તોડવા માટે ભગવાન નંદબાબા અને બીજા વયોવૃદ્ધ લોકો ને સમજાવે છે કે આપણે આપણા કર્મ ને આધિન રહીને તે જ પૂજા કરવી જોઈએ જે આપણને કર્મ કરવા માટે વસ્તુઓ પૂરી પાડે છે. આ પ્રમાણે જણાવીને તેઓ ગોવાળોને ગીરીરાજ ગાયો અને બ્રાહ્મણોની પૂજા કરવા વિશે પ્રેરિત કરે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 23 14.06.2021 27:10
ભગવાન શ્રીકૃષ્ણ સાથે આવેલા ગોપ બાળકો ખૂબ દૂર સુધી ગાયો ચરાવવા નીકળી ચૂક્યા છે. ભૂખ લાગતાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરે છે કે અમને ભોજન અપાવો. ભગવાન તેમને અંગીરસ યજ્ઞ કરી રહેલા બ્રાહ્મણો પાસે મોકલે છે. જ્ઞાનથી અંધ બનેલા બ્રાહ્મણ ગોપ બાળકોનો તિરસ્કાર કરે છે. ત્યારબાદ ભગવાન તે બાળકોને બ્રાહ્મણોને પત્નીઓ પાસે ભોજન માંગવાનું કહે છે. બ્રાહ્મણોને પત્નીઓ ભગવાન ના ભક્તિ પ્રેમમાં ડૂબેલી છે અને ભગવાને ભો...
Bhagvat Puran Skandh 10 Adhyay 22 13.06.2021 21:18
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણની ચીર હરણ લીલા વિશે સાંભળીશું. ચીર હરણ દ્વારા પણ ભગવાન આપણને આપણા કર્મ અને ધર્મ વિષયનું જ્ઞાન આપે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 21 12.06.2021 21:31
ભગવાન શ્રીકૃષ્ણના વેણુનાદમાં ખોવાઈ ગયેલી ગોપીઓ આપસમાં ચર્ચા કરે છે કે આ આખું વિશ્વ કેવી રીતે આ વાંસળીના સૂરમાં ઓતપ્રોત થઇ ગયું છે અને કેવી રીતે પોતાની જાતને શ્રી કૃષ્ણ પર ન્યોછાવર કરી રહ્યું છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 20 11.06.2021 25:56
ભગવાન શ્રીકૃષ્ણના અનેક પરાક્રમો સાંભળ્યા પછી હવે આ અધ્યાયથી આપણે શૃંગાર રસની વાત કરવી છે. આજના અધ્યાયમાં આપણે વર્ષાઋતુ અને શરદઋતુના વાતાવરણની અવલોકન કરીશું. આ અવલોકનોની સાથે વ્યાસજી તત્વજ્ઞાનની વાતો જોડી દે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 19 10.06.2021 13:04
જ્યારે ગોપબાલો રમત માં ડૂબી ગયા છે, ત્યારે તેમની ગાયો ચરતી ચરતી મુંજ ધાસના વનમાં પહોંચી જાય છે. ત્યાં આગ લાગતા ગાયો અને ગોવાળ બધા ઘેરાઈ જાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે કે અમને બચાવો. તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન તેમને દાવાનળમાંથી બચાવી લે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 18 09.06.2021 16:24
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે પ્રલમ્બાસુરનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તેની વાત જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 17 08.06.2021 15:41
કાલિયનાગ ના દમનની વાત સાંભળી, રાજા પરીક્ષિતને પ્રશ્ન થાય છે કે કાલિયનાગ યમુનાના ધરામાં આવ્યો કેમ. શ્રી શુકદેવજી આ ઘટનાનો પૂર્વાર્ધ અને ભગવાને વ્રજવાસીઓને દાવાનળથી કેવી રીતે બચાવ્યા તેની વાર્તા આ અધ્યાયમાં કરે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 16 07.06.2021 34:07
રાજા પરીક્ષિતના પ્રશ્નના જવાબમાં શ્રી શુકદેવજી તેમને કાલિયનાગ કોણ હતો અને ભગવાન શ્રીકૃષ્ણએ કેવી રીતે તેનું દમન કર્યું તેની વાર્તા વિસ્તાર પૂર્વક જણાવે છે. કાલિયનાગનું દમન કાર્ય બાદ શ્રી કૃષ્ણ તેને તેના ધામ રમણકપુરી જવાનો આદેશ આપે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 15 06.06.2021 21:50
ગાયો ચરાવતા ગોપોબાળો શ્રીકૃષ્ણ અને બલરામને તાડવનમાં રહેતા ધેનુકાસુર રાક્ષસ વિશે જણાવે છે. શ્રી કૃષ્ણ અને બલરામ તાડવનમાં પહોંચીને ધેનુકાસુર અને તેના સાથીઓનો ઉદ્ધાર કરે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 14 05.06.2021 33:23
પોતાનો વિશ્વકર્તા હોવાનો મોહ નાશ થતાં બ્રહ્માજી ભગવાન શ્રીકૃષ્ણની અદભુત સ્તુતિ કરે છે. તે સ્તુતિ આજે આપણે આ અધ્યાયમાં સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 13 04.06.2021 28:20
બ્રહ્માજીને વિશ્વકર્તા હોવાનો મોહ થયો છે અને તેથી તેમણે શ્રી કૃષ્ણના બધા સખા અને ગાયોને અદ્રશ્ય કરી દીધા છે. શ્રી હરિ આ બધું જાણતા હોવાથી આ બધાનું સ્વરૂપ લઇ લે છે અને એક વર્ષ સુધી આમ કરે છે. જયારે બ્રહ્માજીનો મોહ નાશ થઇ જાય છે ત્યારે તેઓ શ્રી હરિના ચરણોમાં ઝૂકી જાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 12 03.06.2021 23:49
કંસની આજ્ઞાથી અઘાસુર એક વિકરાળ અજગરનું રૂપ લઈને ગોપબાળોના માર્ગમાં આવી જાય છે. તેના ખુલ્લા મોઢાને ગુફા સમજીને ગોપબાળ અંદર જાય છે. જયારે શ્રી કૃષ્ણ પણ અંદર પ્રવેશે છે ત્યારે અઘાસુર પોતાનું મુખ બંધ કરી દે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના શરીરને ખુબ મોટું બનાવી દે છે. તેથી અઘાસુર પોતેજ રૂંધાઇ જાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 11 02.06.2021 22:48
નંદગામમાં આફત ઉપર આફત આવી રહી છે. અસુરનો ત્રાસ વધતો જતો જૉઇને વૃદ્ધ ગોપો નક્કી કરે છે કે બધા વૃંદાવનમાં ચાલ્યા જઇયે. આખું નંદગામ વૃંદાવન જવા ઉચાળા ભરે છે. કંસના અસુરો ત્યાં પણ કનૈયાને મારવાનો પ્રયત્ન કરે છે. આજના અધ્યાયમાં આપણે ભગવાને વત્સાસુર અને બકાસુરનો કેવી રીતે ઉદ્ધાર કર્યો, તે વિષે જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 11 01.06.2021 24:48
ખાંડણિયા સાથે બંધાયેલ શ્રી કૃષ્ણઃ તેને ઘસડતાં ઘસડતા, ઘરની બહાર આવેલા અશોકવૃક્ષ પાસે લઇ આવે છે. પોતે તો અશોકવૃક્ષના બે ફડિયા વચ્ચેથી નીકળી જાય છે, પણ ખાંડણીયો ફસાઈ જાય છે. જયારે શ્રી કૃષ્ણ જરાક જોરથી ખાંડણિયાને ખેંચે છે ત્યારે અશોકવૃક્ષ પડી જાય છે. આ અશોકવૃક્ષ કોણ છે અને ભગવાને તેમનો ઉદ્ધાર કેમ કર્યો તેની વાત આજના અધ્યાયમાં આપણે જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 9 31.05.2021 19:34
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની દામોદરલીલાની વાત કરવી છે. યશોદાજી લાલા માટે તાજું માખણ બનાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ આવીને દૂધ ની માંગ કરે છે. માતા યશોદા સ્તનપાન કરાવી જ રહ્યાં છે ત્યાં રસોડા માં દૂધ ઉભરાય છે અને એ ન થાય તે માટે યશોદામાતા જરા વાર માટે રસોડામાં જાય છે ત્યાં તો તેમનો લાલો ગુસ્સે થઇ ને દહીં મંથનની ગોળી ફોડી નાખે છે અને માખણ ખાવા લાગે છે. વાંદરાને માખણ વહેચતા લાલાને જોઈને યશોદાજી...
Bhagvat Puran Skandh 10 Adhyay 8 Part 2 30.05.2021 19:49
ગોપીઓને પણ શ્રી કૃષ્ણ માખણ ચોરી જાય તે ગમે છે. છતાંય તે ખોટું ખોટું માતા યશોદા પાસે જઈને કહે છે કે માતા યશોદા તમારા કાનુડાએ અમારું માખણ ચોર્યું છે. આ માખણ ચોરી ખરેખર ચોરી છે? તેના વિશે નો મર્મ આજે આપણે જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 8 Part 1 29.05.2021 22:09
આજના અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણની બાળલીલાઓ ની વાતો સાંભળવી છે. પ્રથમ આપણે શ્રીકૃષ્ણના નામકરણ સંસ્કાર વિશેની માહિતી મેળવીશું. શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કાર શ્રી ગર્ગાચાર્યજી, જેઓ યાદવકુળના પુરોહિત હતા, તેમણે કર્યા. શ્રી કૃષ્ણ, બલરામ અને તેમના સખાઓ દ્વારા માખણ ચોરીની વાત પણ આજે આપણે માણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 7 28.05.2021 24:23
આગલા જન્મમાં જે લોકોને પોતાના કર્મોને લીધે રાક્ષસ રૂપ મળ્યું હતું તેમાના કેટલાક નો ઉદ્ધાર શ્રીકૃષ્ણ પોતાના બાળ સ્વરૂપમાં કરે છે. આજના અધ્યાયમાં આપણે શકટ અને તૃણાવર્તના ઉદ્ધાર ની વાત સાંભળવી છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 6 27.05.2021 24:20
કંસે આપેલી આજ્ઞા પ્રમાણે રાક્ષસી પૂતના બાળકો ના પ્રાણ હરી રહી છે. જ્યારે તે વ્રજમાં શ્રીકૃષ્ણના પ્રાણ હરવા માટે વ્રજમાં આવે છે ત્યારે એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ લે છે. શ્રીકૃષ્ણ તેને પારખી જાય છે. ત્યારબાદ જ્યારે પૂતના તેમને સ્તનપાન કરાવવા નો પ્રયત્ન કરે છે ત્યારે રુદ્ર ની સાથે રહીને શ્રીકૃષ્ણ તેનો જીવ લઇ લે છે. આ પૂતના કોણ છે અને શ્રી કૃષ્ણે તેનો ઉદ્ધાર કેમ કર્યો તેના વિશે આજના અધ્યાયમાં આપણે જાણી...
Bhagvat Puran Skandh 10 Adhyay 5 26.05.2021 19:26
આજના અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણના જન્મનો મહોત્સવ જે વ્રજ ગામમાં ઉજવાઈ રહ્યો છે તેના વિશે સાંભળીશું. ત્યારબાદ આપણે નંદજી અને વસુદેવજી ની મથુરા માં થયેલી મુલાકાત અને વસુદેવજી એ નંદબાવાને આપેલી સલાહ વિશે જાણીશું.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.