Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Religion GU ↓ 486 episodes

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Author

Paurav Shukla

Category

Religion

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

Devi Bhagvat Skandh 3 Adhyay 7 02.02.2025

આ અધ્યાયમાં દેવી બ્રહ્માજીને તત્તવનિરૂપણ એટલે તત્વજ્ઞાનની અત્યંત ગૂઢ એવી વાત કરે છે અને મહતત્વ, જ્ઞાન અને ક્રિયાશક્તિ પર પ્રકાશ પાડે છે.

Devi Bhagvat Skandh 3 Adhyay 6 26.01.2025

અધ્યાયમાં આપણે બ્રહ્માજીને દેવીએ આપેલો ઉપદેશ સાંભળશું.દેવી કહે છે કે તેઓજ સર્વશક્તિમાન અને સત છે. અથાર્ત બ્રહ્મ છે.

Devi Bhagvat Skandh 3 Adhyay 5 29.12.2024

વિષ્ણુ ભગવાનની દેવી સ્તુતિ બાદ, શિવ, દેવીને સ્તુતિ કરતા, તેમની સર્વ-વ્યાપક શક્તિને સ્વીકારે છે, કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ - બધા તેમની શક્તિથી જ અસ્તિત્વ પામે છે. ત્યાર બાદ શિવ દેવી પાસે તેમનો નવાક્ષરી માંત્ર પાછો મેળવે છે. ત્યારબાદ બ્રહ્માજી દેવીની સ્તુતિ કરતા તેમને પ્રશ્નો કરે છે.

Devi Bhagvat Skandh 3 Adhyay 4 22.12.2024

આ અધ્યાયમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ મણિ-દ્વીપ પર ભુવનેશ્વરી દેવીને મળે છે, જેઓ તેમને પોતાના ચરણોમાં સમગ્ર બ્રહ્માંડનો અનુભવ કરવા પ્રેરે છે. વિષ્ણુ દેવીને ભક્તિભાવે સ્તુતિ કરે છે, તેમની સર્વ-વ્યાપક શક્તિને સ્વીકારે છે અને કબૂલ કરે છે કે બ્રહ્મા, વિષ્ણુ કે શિવ - કોઈ પણ ન - પોતાના કાર્યો દેવીની શક્તિ વગર કરી શકતા નથી.

Devi Bhagvat Skandh 3 Adhyay 3 15.12.2024

આ અધ્યાયમાં આપણે સાંભળીશું કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પોતાની વાયુયાન મારફતે બ્રહ્માંડની સફર કરે છે, જેમાં તેઓ વિભિન્ન દિવ્ય સ્થળો જુએ છે. અંતે, તેઓ મણિ-દ્વીપ પર બેઠેલી ભુવનેશ્વરી દેવીને જુએ છે, જે વિશ્વની પ્રથમ શ્રષ્ટિ અને સર્વ શક્તિમાન માતા તરીકે વર્ણવવામાં આવી છે.

Devi Bhagvat Skandh 3 Adhyay 2 08.12.2024

આ અધ્યાયમાં આપણે સાંભળીશું કે કેવી રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેઓ કોણ છે તે અંગે મૂંઝવણમાં પડી ગયા. આપણે એ પણ સાંભળીશું કે કેવી રીતે દેવી તેમને વિમાન દ્વારા બ્રહ્માંડોના પ્રવાસ પર લઈ જાય છે.

Devi Bhagvat Skandh 3 Adhyay 1 01.12.2024

જનમેજયની અધ્યાત્મની કેડી પર ચાલવાની શરૂઆત થઈ છે. એટલે એમણે વ્યાસજીને પ્રશ્ન કર્યો છે કે આ બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું. એના ઉત્તરમાં વ્યાસજી, નારદજી અને બ્રહ્માજી વચ્ચે થયેલા સંવાદ અને દેવીની મહત્તાની વાત કરે છે.

Devi Bhagvat Skandh 2 Adhyay 12 24.11.2024

આજના અધ્યાયમાં આપણે આજ આસ્તિક મુનિએ જનમેજયના સરસત્રને કેમ અને કેવી રીતે રોકયો તેની વાત કરવી છે. આસ્તિક મુનિના જન્મની કથા વ્યાસજી જન્મેજયને સમજાવે છે અને કરુણાની મહત્તાની વાત કરે છે.

Devi Bhagvat Skandh 2 Adhyay 11 17.11.2024

આ અધ્યાયમાં આપણે જન્મેજયના રાજ્યાભિષેક, લગ્ન અને પરિપક્વતાની વાત કરવી છે. ઉતંકમુનિના પ્રભાવમાં આવી જઈને જન્મેજય સર્પસત્રની શરૂઆત કરે છે તેની પણ વાત આપણે કરવી છે. આ સર્પસત્રનું નિવારણ આસ્તિક મુનિએ કેવી રીતે કર્યું તે પણ આપણે આ અધ્યાયમાં જાણીશું.

Devi Bhagvat Skandh 2 Adhyay 10 10.11.2024

આજના અધ્યાયમાં આપને તક્ષકનાગ અને બ્રાહ્મણ કશ્યપ વચ્ચેનો વાર્તાલાપ સાંભળીશું.અને ત્યાર પછી કેવી યુક્તિ કરીને તક્ષકનાગ વિધિનું વિધાન પૂર્ણ કરવા માટે પરિક્ષિત રાજાને ડશે છે તેની પણ વાત સાંભળીશું.

Devi Bhagvat - Skandh 2 Adhyay 9 03.11.2024

આજના અધ્યાયમાં આપણે તપસ્વી રૂરૂ અને તેમના પ્રેમની કથા સાંભળીશું. દેવદૂતના માગ્યા પછી તપસ્વી રુરૂએ પોતાની અડધી જ઼િંદગી પ્રિયતમા પ્રમદ્વરાને જીવિત કરવા માટે આપી દીધી તેના દ્વારા આપણે પ્રેમ અને ત્યાગ એવી મર્મની વાત સમજીશું. આ તરફ પરિક્ષિત રાજાની પોતાની જિજીવિષાની વાત પણ સાંભળીશું.

Devi Bhagvat - Skandh 2 Adhyay 8 27.10.2024

આ અધ્યાયમાં આપણે યદુકુળના નાશની અને રાજા પરીક્ષિતની કથા સાંભળવી છે. અહીંયા આપણે ભગવતપુરાણની શરૂઆત કેવી રીતે થાય છે, તેની પણ વાત કરીશું.

Devi Bhagvat - Skandh 2 Adhyay 7 20.10.2024

આજના અધ્યાયમાં આપણે.વ્યક્તિગત ચરિત્રની વાત કરવી છે. મહાભારત દ્વારા આપણે ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર અને ભીમના ચરિત્ર વિશેની વાત કરીશું અને તેના દ્વારા આપણે આપણા પરિવાર માટે કેવી વાતો શીખી શકે તે પણ સમજીશું.

Devi Bhagvat - Skandh 2 Adhyay 6 13.10.2024

આજના અધ્યાયમાં આપને વ્યાસજીને ત્રણ પુત્રો અને પાંડવોના જન્મની કથા સામ્ભળીશું. ખાસ કરીને માતા કુંતીના કથાનકની વાત કરશું.

Devi Bhagvat - Skandh 2 Adhyay 5 06.10.2024

આજના અધ્યાયમાં આપણે સત્યવતી અને શાંતનુના લગ્નની વાત અને ભીષ્મપ્રતિજ્ઞાની વાત કરવી છે.

Devi Bhagvat - Skandh 2 Adhyay 4 29.09.2024

આ અધ્યાયમાં આપણે ગંગાથી વસુઓના જન્મ અને દેવવ્રતના જન્મની વાત કરવી છે. ગંગા અને શાંતનું વચ્ચેના સંવાદને પણ મર્મથી સમજવો છે.

Devi bhagvat - Skandh 2 Adhyay 3 22.09.2024

ઋષિઓએ સુતજીને પ્રશ્નો કર્યા છે કે વ્યાસજીએ અને ભીષ્મજીએ જે પ્રકારના નિર્ણયો લીધા તે સા સારું. તેના જવાબમાં સુતજી રાજા મહાભિષ, ગંગા, વસુઓ અને શાંતનુ રાજાની કથા સંભળાવે છે. તેઓ આ કથા દ્વારા મહાભારતની પુર્વભુમિકા બાંધે છે.

Devi bhagvat - Skandh 2 Adhyay 2 15.09.2024

આજના અધ્યાયમાં આપણે પરાશરમુનિ અને મત્સ્યગંધાની મુલાકાત કેવી રીતે થઈ અને એ દાસ કન્યાથી વ્યાસજીનો જન્મ કેવી રીતે થયો તેના વિષેની વાત કરવી છે.

Devi bhagvat - Skandh 2 Adhyay 1 08.09.2024

આજથી આપણે દેવી ભાગવતના બીજા સ્કંધની શરૂઆત કરી રહ્યા છે. આજના અધ્યાયમાં આપણે વ્યાસજીના જન્મની પૂર્વ ભૂમિકા બાંધી છે અને મત્સ્ય ગંધાની વાત કરવી છે.

Devi bhagvat - Skandh 1 Adhyay 20 23.06.2024

આ અધ્યાયમાં આપણે શુકદેવજીના પરંગતિ પામ્યા પછી વ્યાસજીના વંશ અને કૃત્યોનું વર્ણન કરીશું.

Devi bhagvat - Skandh 1 Adhyay 19 16.06.2024

શુકદેવજીને હજી પણ કેટલાક પ્રશ્નો છે જનકજી સાથે. જીવન મુક્તિ વિશેના. જેના સુંદર જવાબ જનકજી આપે છે. આ સાંભળીને શુકદેવજીના બધા સંદેહ દૂર થાય છે અને તેઓ ગૃહસ્થ આશ્રમમાં સ્થિત થાય છે. ત્યાર બાદ ગૃહસ્થાશ્રમને ભોગવીને શુકદેવજી સંન્યાસ ધારણ કરે છે તેની કથા આપણે આજે સાંભળીશું.

Devi bhagvat - Skandh 1 Adhyay 18 09.06.2024

આ અધ્યાયમાં આપણે શુકદેવજીના ગૃહસ્થાશ્રમ તરફના સંદેહ અને જનકજી દ્વારા તેના નિવારણનો સંવાદ સાંભળીશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 17 02.06.2024

આ અધ્યાયમાં આપણે પિતાના કહેવા બાદ શુકદેવજી જનકજી ની પરીક્ષા કરવા માટે મિથિલા પુર ગયા છે તેની કથા સાંભળીશું. શુકદેવજી અને જનકજીના દ્વારપાળ વચ્ચેનો સંવાદ જેમાં રાગી અને વિરાગી પુરુષમાં શું તફાવત છે તે પણ જાણીશું. અને ત્યાર બાદ શુકદેવજી કેવી રીતે જલકમલવત મહેલમાં પણ રહી શકે છે તે જાણીશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 16 26.05.2024

આજના અધ્યાયમાં વ્યાસજી આપણને ભગવાન વિષ્ણુ અને દેવી વચ્ચેનો સંવાદ સંભળાવે છે અને તેના દ્વારા શુકદેવજી ને સંદેશ આપે છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ, વર્ણાશ્રમમાં રહીને પણ માણસ, દેવી ભાગવત સમજી શકે છે.

Devi bhagvat - Skandh 1 Adhyay 15 19.05.2024

જ્યારે વ્યાસજી શુકદેવજીને વર્ણાશ્રમ વિશે સમજાવે છે ત્યારે તેના જવાબમાં શુકદેવજી પોતાના પિતા વ્યાસજીને સંન્યાસ વિશેની વાત કહે છે તેઓ તો સન્યાસી છે. તે સમય તત્ત્વગ્યાનની તલબ લાગેલી હોવાથી શુકદેવજી વ્યાસજી પાસે તત્વનાની.ભિક્ષા માંગે છે. તેના જવાબ વ્યાસજી તેમને દેવી ભાગવત સમજવાની વાત કરેં છે.

Listen to the Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.